ભગવાને સ્ત્રી ના દીકરી,બહેન, પત્ની, માતા, અનેક રૂપ બનાવ્યાં, પણ માતા ના રૂપમાં જે કરુણા, વાત્સલ્ય, પ્રેમ, લાગણી નું સિંચન કર્યું તે બીજા કોઈ રૂપ માં ના કરી શક્યો.
માતા કરુણા ના પાઠ શીખવા બુદ્ધ પાસે કે વાત્સલ્ય ના પાઠ શીખવા મહાવીર પાસે ગઈ નથી, છતાં દુનિયાનુંશ્રેષ્ઠ વાત્સલ્ય , કરુણા , માતા ના ખોળામાં ધરબાયેલુ હોય છે
કરુણા, વાત્સલ્ય, પ્રેમ ,લાગણી, ની કોઈ વિદ્યાપીઠ નથી , તો પણ વિશ્વ ની દરેક માતા માં આતત્વ આવે છે ક્યાંથી ? આ પ્રશ્ન જરૂર થાય..
માં..માણસ ની હોય, પશુની હોય કે પક્ષી ની હોય આતત્વ બધામાં હોય છે.
માં ની હાજરી જ દુનિયાના અનિષ્ટો સામે લડવાનું બળ પૂરું પાડે, માંનો સાડલા નો છેડો(પાલવ) દુનિયાનું શ્રેષ્ઠ સુરક્ષા કવચ છે, માં જ્યારે વાત્સલ્ય થી માથા પર હાથ મૂકી આશીર્વાદ આપે ત્યારે એ આશીર્વાદ ની તાકાત વિધાતા પણ મિટાવી શક્તી નથી...
બા મને હજી પણ યાદ છે હું નાનો હતો , તું મને બગીચે બધા છોકરા સાથે હીંચકા ખાવા, લપસીયા ખાવા લઈ ગયેલ, બધા છોકરા હીંચકા ખાતા હતા અને હું દૂર હકો ગાંડો હતો તેને હેરાન કરી ખીજવતો હતો હકો મારી પાછળ દોડ્યો.. હું બીક નો મર્યો દોડતો હાંફતો તારી પાસે આવી તારા સાડલા ના છેડા માં સંતાય ગયો ,રાતે બીકનો તાવ આવી ગયો હતો, તું મારી બાજુ માં સુતા સુતા મને હિંમત આપતા કહ્યું કે આછેડો ઓઢી ને સુઇજ હું નિસફિકર થઈ સુઇ ગયો. સવારે તાવ પણ ઉતરી ગયો, તારા ગયા પછી હજીએ ,...પાલવ નો છેડો ગોતું છું પણ મળ્યો નથી...!!!
મારા બા ની બધી બેનપણી પણ મને માં જેવું જ વાત્સલ્ય અને લાગણી આપતા દરેક માં પાસેથી મને વિશિષ્ટ ગુણ મળ્યા છે .અમારું કુળ.પરજીયા સોની ક્ષત્રિય કુળ ગણાય એટલે ક્ષત્રિય નું શૂર, વણિક નો વિવેક રામકુંવર માસી પાસે રહી શીખ્યો, પટેલ નો પરસેવો જયાબેન પાસે થી શીખવા મળ્યો, જીભે સરસ્વતી ગગુમા બારોટની બેઠકે બેસી શીખ્યો. મુસલમાન નું ઇમાન નની માસી પાસે થી શીખવા મળ્યું
આમ મારા ઉપર પાંચે માતા નો પ્રભાવ રહ્યો.. ક્ષત્રીનું શૌર્ય, વાણીયા નો વિવેક, પટેલ ની મહેનત (પરસેવો), બારોટ ની સરસ્વતી, અને મુસલમાન નું ઇમાન નો પ્રભાવ આટલા વર્ષે પણ રહ્યો જ છે.. આજના આ પવિત્ર દિવસે મારી પાંચ માતા સહિત જગત નીબધી માતા ને વંદન સહ પ્રણામ...
--------ગુણવંત ધોરડા
જેતપુર
10-મેં- 2020 ,મધર્સ ડે..

No comments:
Post a Comment