Sunday, May 17, 2020

જયાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ હશેજ(હોયજ) ગાઠીયા.

અત્ર.. તત્ર..સર્વત્ર..ગાઠીયા..
જયાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ હશેજ(હોયજ) ગાઠીયા...
સૌરાષ્ટ્રનું એકમાત્ર લોકવ્યનજન એટલે ગાઠીયા...સૌરાષ્ટ્રના નાનામાં નાના કસ્બા કે ગામડાથી લઇને લંડનના લેસ્ટર સુધીગુજરાતી પોતાની સાથે સાથે પોતાની આગવી ઓળખ ગાઠીયા લેતો ગયો..અને ત્યાંના પ્રાદેશિક લોકો ને ચસ્કો લગાડતો ગયો..સૌરાષ્ટ્રના આર્થિક રીતે નબળા લોકો ની જરૂરિયાત (બાળપણના સમયમાં મહેનતકશ માણસો ને મેં ગાઠીયા સાથે ગોળ ખાતા જોયા છે તેમાંથી તે શક્તિ મેળવી મહેનત ના કામ કરતો)અને સામાન્યથી..સમૃદ્ધલોકો નું મોભા નું પ્રતિક છે આ ગઠિયા.સૌરાષ્ટ્રનું એકપણ પરિવાર એવો નહીં હોયકે જેના ઘરમાં અમુક-અમુક દિવસે અકારણ ગાઠીયા ખવાતા નહીં હોય.
      


Fafda -Pata-Gathiya
           સૌરાષ્ટ્ની કોઈપણ જ્ઞાતિ કે વર્ગ નો શુભ કે અશુભ પ્રસંગ હોય..અને ઘરે રસોયાભાઈ રસોય બનાવવાના હોય તો પહેલા,શુકનના ગાઠીયા બને..જે..ત્રણ ચાર દિવસ મહેમાનો દરરોજ નાસ્તામાં પીરસાય અને ખવાય,હવે નવી પ્રણાલી પ્રમાણે લગ્ન પ્રસંગમાં પણ ગરમા-ગરમ ગાઠીયા જલેબી પીરસવામાં આવેછે..
                   ગાઠીયા વ્યન્જનોમાં પારસી કોમ જેવા છે,જેમ પારસી કોમ દૂધમાં સાકર ભળે તેમભળી જાય તેમ ગાઠીયા ગમે તે વસ્તુ સાથે સહજતા થી ભળી જાય..તીખામાં-તીખા મરચા હોય..મધ મીઠી જલેબી..બટેટાની ચિપ્સ હોય ..ડુંગળી હોય..લાડવા હોય..બરફી કે પેંડા હોય સાંભરા પછી તે ચીભડા કોબીજ..ગાજર કે કાચા પોપૈયાનોહોય ..ઘરે જ્યારે પરિવાર સાથે ગાઠીયા ખવાતા હોયત્યારે..ટાઢી રોટલી ..ભાખરી ..કે રોટલા સાથે  ચા ની ચૂસકી સાથે લોકો મોજથી ખાય છે..
Valena-Gathiya
                    ગાંઠિયાની સંગત અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની હોય છે.પરંતુ ગઠિયા સાથે મરચાની સંગત સર્વવ્યાપી છે.."ગાઠીયા મરચા'  એટલે "સીતારામ" "રાધ કૃષ્ણ" " ખેમરો લોડણ" "હિર રાઝા" સિરી ફરહાદ"જેવી જોડી..
                     પુણ્ય કમાવા માટે જેમ પશુ ને લીલો ઘાસચારો ખવડવામાં આવેછે તેમ .કાગડા કૂતરાને ગાઠીયા ખડવામાં આવેછે..
                      હું નાનો હતો ત્યારે મારા કાકા(બાપુજી)સાથે શાક લેવા જતો ત્યારે  અમારા ઘરથી શાકમાર્કેટ જતા રસ્તામાં ખોડપરા મેઈન રોડપર શંકરની દેહરી પાસે ભાનુંશંકર પંડ્યા (ભાનુભાઈ કંદોઇ) ની દુકાન આવતી ત્યાંથી એક રૂપિયા ના પાકો શેર એટલે આજના કિલો થાય કાચોશેર એટલે 500 ગ્રામ દશાંશ પદ્ધતિ ત્યારે અમલ ના હતી.. મારા કાકા ખરીદતા અને ભાનુભાઈ થાળ માં જેટલા ગાઠીયા હોય તે બધા ટાઢા ગાઠીયા આપી દેતા  ...!!! ...અમે બધા કાગડા કૂતરા ને ખવડાવતા...અને ભનુભાઈ ગરમ ગરમ ગાઠીયા ઉતારવાની શરૂઆત કરતા..ત્યારે જે ચણાના લોટ હિંગ અજમાંની વરાળ ની સુગંધ આવતી જે અત્યારે પણ મન બાગ બાગ કરી મુકેછે... !!!
પહેલાના સમયમાં ગરમ ગાઠીયા નો નક્કી કરેલો સમય રહેતો હતો.. ત્યારે જ મળતા હતા..
               ધોરાજી ગામથી રાતે 12 વાગ્યે કે 2 વાગ્યે પણ ગરમ ગરમ ગાઠીયા મળવાની પ્રથા ચાલુ થઈ જે ધીમે ધીમે આખા સૌરાષ્ટ્રમાં પ્રસરી ગઈ..એટલેજ રાત્રી ગાઠીયા બાઝરનું પિતામહ ધોરાજી જ ગણાય..
                  એટલેજ આજે સૌરાષ્ટ્રમાં ગરમ ગાઠીયાનું જ પ્રચલનછે..નામી ગાંઠિયાની દુકાને તૈયાર ગાઠીયા મળે જે લાંબો સમય ડબામાં ભરી  રાખી શકાય અને ખાઈ શકાય...બાકીના રેંકડી ના તાજે તાજા ખાઈ શકાય જે સાચવી લાંબો સમય રાખી ના શકાય.. નામી દુકાનના ગાઠીયા ધીમા તાપે સંપૂર્ણ તડવામાં આવે ...જયારે રેકડીમાં ઝડપથી તેલમાં તળી કાઢી લેવામાં આવે એટલે તે ગાંઠિયા વરાળથી બફાઈ જાય.. રેકડીનો ગાઠીયા "તળેલા બાફેલા" ગાઠીયા કહેવાય..હૃદય રોગના દર્દી માટે આ ગાઠીયા શ્રેષ્ઠ ગણાય..અત્યારે બઝાર માં બાલાજી..ગોપાલ એવન જેવી કંપની ના 50..100..ગ્રામ થી લઇ એક કિલોના ફ્રેશ પેકીંગ મળે છે..
                  છેલ્લામાં છેલ્લા ગાઠીયા સુધી ગરમ ગાઠીયાનોસ્વાદ લેવાની રીત કે કળા મારા પારિવારિક મિત્ર કિશોર મશરૂ પાસે થી શીખવા મળી ... જ્યારે  પાંચ -સાત  મિત્રો ખાવા જાવ ત્યારે 750 ગ્રામ ખાવા છે ત્યારે રેકડીવાળા ને 150 ગ્રામ નો ઓર્ડર આપે ત્યરે કહે કે 150..150 ગ્રામ ચાર વાર બનાવ પાચમીવર પૂછી લે જે જરૂર હોય તો બનાવડાવે નહીતો પૂરું..આમ છેલ્લા ગાઠીયા સુધી ગરમ ગાઠીયા ખાવા મળતા..
                 આમ જોવા જાઈયેતો ગાઠીયાના મૂળ તત્વ પાણી,ચણાનો લોટ,સીંગતેલ(કોઈપણ તેલ ચાલે પણ ઉત્તમ સીંગતેલ છે),મીઠું,ખારો, સંચળ.. વધારાના સ્વાદ માટે અજમાં,મારી આખા,મરીનો પાવડર,લાલ મરચાનો પાવડર..હમણાં હમણાં મેથીની ભાજીનો પણ ઉપયોગ સ્વાદ માટે કરવામાં આવેછે..ગાઠીયા ના અનેક પ્રકાર છે વણેલા ગાઠીયા,ફાફડા,પાપડી ,ભાવનગરી, તીખા ગાઠીયા ચંપાકલી, અંગૂઠિયા(જે પ્રકાર નામશેષ થઈ ગયેલ છે)પરંતુ તેમાં મૂળ તત્વો તો સરખાજ છે ફેર માત્ર પ્રિપેરેશન નોજ છે..જેને કારણે બધા પ્રકારના ગાઠીયા નો સ્વાદ અલગ -અલગ લાગેછે.
                  સમય જતાં સમય અનુસાર મોટાભાગ ના ગાઠીયા જેવાકે ભાવનગરી,જારાની પાપડી ,વણેલા ગાઠીયા,ફાફડા મશીનથી બનવા લાગ્યા છે..પરંતુ હાથેથી બનાવેલ ગાઠીયા જેવો સ્વાદ તેમાં મળતો નથી..
                     ગાઠીયા બનાવવા એકજાતની આવડત છે.અને ગાંઠિયા બનાવવામાટે ધીરજ સહ કુશળતા  માગીલે તેવું છે,એટલેજ ખાસ જગ્યા અને દુકાનના ગાઠીયા વખણાય છે...બીજા કરતા અલગ પણ પડે છે.. સૌરાષ્ટ્ર અને ગુજરાત ના ગાઠીયા નો સ્વાદ અલગ પડે છે...સુરેન્દ્રનગર પછી ગાઠીયા નો સ્વાદ બદલાતો લગે..
                     સૌરાષ્ટ્રનો કોઈ પણ ધર્મ,જાતી કે વર્ગનો માણસ મૃત્યુ શૈયા પર હોય...તેમની અંતિમક્ષણ આવી પોહચી હોઈ,અને તેમને પૂછવામાં આવેકે તેમની અંતિમ ઈચ્છા શુ ખાવા ની છે..તો તરતજ કહેશે કે "ગાઠીયા ખાવા છે"મારો એક મિત્ર જે ગાઠીયા પ્રેમી છે તે તેના થી પણ આગળ વધી કહે છે કે આવી પરિસ્થિતિમાં કોઈ માણસ પાસે બે વિકલ્પ મુકવામાં આવે એક વિકલ્પ સ્વર્ગ અને બીજો ગાઠીયા તો હું બેધડક કહું કે ગાઠીયા..કારણ ગાંઠિયાની ગેરંટી છે ,..!!!ગાઠીયા ખાવાથી સ્વર્ગ નો આનંદ મળશે..!!!પરંતુ મરણ પછી સ્વર્ગ મળશે કે નહીં તેની કોઈ ખાત્રી નથી...
                   ગાઠીયા પાસે થી એક શિખામણ મને મળી છે કે આપણી આવડત અને ક્ષમતા વગર કોઈના રવાડે ચડવું નહીં,મારા જીવનની એક યાદગાર ઘટના મને બરાબર યાદ છે..મારા સાઢું ભાઈ નરેન્દ્રભાઈ સાગર ખુદ સિવિલ એન્જીનયર છે છતાં રસોઈ કાળા ના પૂર્ણ જાણકાર છે અમે જયારે તેમનાઘરે મોડે સુધી બેઠા હોય ત્યારેતેઓ અમને બધાને ગરમા ગરમ ગાંઠિયાપોતાના હાથે બનાવી ખવડાવે..
                    એમનેજોઈ ને મને પણ મન થયું કે હું પણ મારા હાથે ગાઠીયા બનવું..રેસિપી લીધી મીઠું ,સોડા ખારો તેમના માપના પડીકા બાંધ્યા અને બીજે દિવસે સવારે ધર્મપત્ની ને આશ્ચર્યચકિત કરીદેવના ધખારા સાથે તે સ્નાન કરવા ગઈ અને મારું "અભિયાને ગાઠીયા" શરૂ કર્યું..રેસિપી પ્રમાણે બધું કર્યું અડધો કિલો લોટ બાંધ્યો.. ગાઠીયા વણી તૈયાર કર્યા.. તળિયા તો ગાઠીયા લાલ ચોળ.. એટલામાં શ્રીમતીજી નું રસોડામાં આગમન થયું..બંન્ને ની નજર એક થઇ.. શ્રીમતીજીને બદલે આશ્ચર્યચકિત હું થયો..મેં શ્રીમતીજી ને પૂછ્યું આમ કેમ થયું ...!!! મને કહે આઘા જાવ, પછી પૂછ્યું કે શું નાખ્યું મેં કીધું અડધો કિલો લોટ..અને..નરેન્દ્રભાઈ એ  આપેલ પડીકા પ્રમાણે મીઠું અને  ખારોસોડા..  મને કહે "જેનું જે કામ હોય તે કરાય" ગાઠીયા ખરા ધુધવા જેવા મોઢામાં  નાખી ના શકાય તેવા..!!! અમે બન્ને એ નક્કી કર્યું કૂતરા ને ખવડાવી દયે.. કૂતરાને બોલાવી નાખ્યા..મારી દયાજનક પરિસ્થિતિ ત્યરે થઈ કૂતરાં સૂંઘી.. સૂંઘી ને ચાલતા થયા.!!!.ગાય ને ખવડાવવા માટે ગાય ને બોલાવી ગાય હરખે હરખે દોડતી આવી હું પણ હરખાણો..!!!કે ગાઠીયા ની મેહનત નકામી નહીં જાય.. પણ હરખ ક્ષણજીવી નીકળ્યો ગાય પણ માત્ર મોઢું નીચું નમાવી જોઈ ને હાલતી થઈ.. !!!બાજુ માં એક મંદિર હતું તેના પીપળા ના ઝાડમાં કાગડા રહે હું "કાગ ભરોસે" ત્યાં ગયો કાગડાને ગાઠીયા નાખ્યા કાગડા નીચે આવ્યા,આશા ઠગારી નીવડી ..!!!કાગડા નિરાશ થઈ પાછા કા..કા..કરતા ઝાડપર ગયા..અને હું નિરાશ થઈ વીલે મોઢે ઘેર આવ્યો..!!!મોઢું જોઈ શ્રીમતીજીએ પૂછ્યું શુ થયું આમ આવું મોઢું કેમ કરો છો..!!!મેં કહ્યું ગાય.. કૂતરા..કેે કાગડા કોઈ એ નાં ખાધા. મેહનત પાણી માં ગઈ..!!!
આ ગાઠીયા અભિયાન ઉપરથી શીખવા મળ્યું કે "આપણી ચાંચ ડૂબતી ના હોય તેવું કાર્ય કરવા માટે પ્રયત્ન ના કરવા"
---------ગુણવંત ધોરડા
           જેતપુર
પુનરાવૃત લેખ તા. 9 મેં 2020

એ...માં......એ...માં તેરી સુરત સે અલગ ભગવાન કી, સુરત ક્યાં હોગી, ઉસકો નહીં દેખા હમને કભી.

ભગવાને સ્ત્રી ના  દીકરી,બહેન, પત્ની, માતા, અનેક રૂપ બનાવ્યાં,  પણ માતા ના રૂપમાં જે કરુણા, વાત્સલ્ય, પ્રેમ, લાગણી નું સિંચન કર્યું તે બીજા કોઈ રૂપ માં ના કરી શક્યો.
માતા  કરુણા ના પાઠ શીખવા બુદ્ધ પાસે કે વાત્સલ્ય ના પાઠ શીખવા મહાવીર પાસે ગઈ નથી, છતાં દુનિયાનુંશ્રેષ્ઠ વાત્સલ્ય , કરુણા , માતા ના ખોળામાં ધરબાયેલુ હોય છે
કરુણા, વાત્સલ્ય, પ્રેમ ,લાગણી, ની કોઈ વિદ્યાપીઠ નથી , તો પણ વિશ્વ ની દરેક માતા માં આતત્વ આવે છે ક્યાંથી ? આ પ્રશ્ન જરૂર થાય..
માં..માણસ ની હોય, પશુની હોય કે પક્ષી ની હોય  આતત્વ બધામાં હોય છે.
માં ની હાજરી જ દુનિયાના અનિષ્ટો સામે લડવાનું બળ પૂરું પાડે, માંનો સાડલા નો છેડો(પાલવ) દુનિયાનું શ્રેષ્ઠ સુરક્ષા  કવચ છે, માં જ્યારે વાત્સલ્ય થી માથા પર હાથ મૂકી આશીર્વાદ આપે ત્યારે એ આશીર્વાદ ની તાકાત વિધાતા પણ મિટાવી શક્તી નથી...
  બા મને હજી  પણ યાદ છે હું નાનો હતો , તું મને બગીચે બધા છોકરા સાથે હીંચકા ખાવા, લપસીયા ખાવા  લઈ ગયેલ, બધા છોકરા હીંચકા ખાતા હતા અને હું દૂર  હકો ગાંડો  હતો તેને હેરાન કરી ખીજવતો હતો હકો મારી પાછળ દોડ્યો.. હું બીક નો મર્યો  દોડતો હાંફતો  તારી પાસે આવી તારા સાડલા ના છેડા માં સંતાય ગયો ,રાતે બીકનો તાવ આવી ગયો હતો, તું મારી બાજુ માં સુતા સુતા મને હિંમત આપતા કહ્યું કે આછેડો ઓઢી ને  સુઇજ હું નિસફિકર થઈ સુઇ ગયો. સવારે તાવ પણ ઉતરી ગયો,  તારા ગયા પછી હજીએ ,...પાલવ નો છેડો  ગોતું છું પણ મળ્યો નથી...!!!
મારા બા ની  બધી બેનપણી પણ મને માં જેવું જ વાત્સલ્ય અને લાગણી આપતા દરેક માં પાસેથી મને  વિશિષ્ટ ગુણ મળ્યા છે .અમારું કુળ.પરજીયા સોની ક્ષત્રિય કુળ ગણાય એટલે  ક્ષત્રિય નું શૂર, વણિક નો વિવેક રામકુંવર માસી પાસે રહી શીખ્યો, પટેલ નો પરસેવો જયાબેન પાસે થી શીખવા મળ્યો, જીભે સરસ્વતી  ગગુમા બારોટની બેઠકે બેસી શીખ્યો. મુસલમાન નું ઇમાન નની માસી પાસે થી શીખવા મળ્યું
આમ મારા ઉપર  પાંચે માતા નો  પ્રભાવ રહ્યો.. ક્ષત્રીનું શૌર્ય, વાણીયા નો વિવેક, પટેલ ની મહેનત (પરસેવો),   બારોટ ની સરસ્વતી, અને મુસલમાન નું ઇમાન નો પ્રભાવ આટલા વર્ષે પણ રહ્યો જ  છે..  આજના આ પવિત્ર દિવસે મારી પાંચ માતા સહિત  જગત નીબધી માતા  ને વંદન સહ  પ્રણામ...
--------ગુણવંત ધોરડા
          જેતપુર
10-મેં- 2020 ,મધર્સ ડે..

ઉછીની તાકાત ઉપર... જંગ જીતી ના શકાય..

Monghi Ba-My mother
મારી ઉંમર લગભગ દસ બાર વરસ ની હશે,  મારી બા ખુબજ શ્રદ્ધાળુ , અમારો પરિવાર પુષ્ટિ માર્ગીય પરિવાર, મારા બાપુજી ને અમે બધા ભાંડરડા કાકા કહેતા, મારા કાકા ની વિચાર ધારા રેશનલિઝમ, પોતે પોતાના સ્વતંત્ર વિચાર ધારા થી ચાલે, તેઓ કયારેય પણ કોઈના દોરવાય ચાલ્યા હોય તેવું મારી સભારણમાં જોયું કે જાણ્યું નથી, આવિચાર ધારા તેમના જીવનમાં આવી ..તે ઘટના ,  તેઓ ધંધા માટે 14 વરસની ઉંમરે મોટાભાઈ  જેરામભાઈસાથે સરદારગઢ થી આગબોટ માં કરાચી ગયા,  ત્યાં બંને ભાઈ ઓ એ તનતોડ મહેનત કરી પોતાની કુનેહ થી પ્રતિષ્ઠા મેળવી, શરૂઆત ના દિવસો માં પોતાના એક મિત્ર સાથે શ્રાવણ મહિના ના સોમવારે સમુદ્ર કાંઠે દરિયાની ભરતી માં શિવલિંગ ડૂબેલું રહેતું  ત્યાં દરિયામાં નાહવા તથા દર્શન કરવા જાય ,તેમાં ચાર પાંચ ફૂટ પાણી માં શિવલિંગ હોય ,તેમાં શુદ્ધાળુ ભક્તો ચાર આંના આઠ આના  જેવા સિક્કા ભક્તિ ભાવ થી  શિવજી ને ચરણે પધરાવે.  અમુક માણસો ડૂબકી મારી શિવલિંગ ને સ્પર્શ કરી પાવન થાય, મારા બાપુજી અને તેનો મિત્ર પણ ડૂબકી મારે પણ મૂર્તિને સ્પર્શ કરવા સાથે મુઠી ભરી સિક્કા ઉપાડે, દરિયા કિનારે દાલપકવાન ની લારી હોય , તે પૈસામાંથી બંને મિત્રો ધરાઈ ને  દાલ પકવાનખાય ને બાકીના જે વધે તેમાંથી ગરીબ-ગુરબા ને પ્રસાદ રૂપે જમાડે, તેવો તેમનો ક્રમ થઈ ગયો.. ભગવાન ને આબધી વસ્તુ ની જરૂર નથી તેવું મનમાં ભરાઈ ગયું તે મૃત્યુ  પર્યન્ત કાયમ રહ્યું
                      મારા કાકા(બાપુજી) છેલ્લા દિવસો સુધી નિત્ય ગાય ને લીલું, કાબર, કૂતરા,કાગડા ને ગાંઠિયા ખવડાવતા, નાનાના બાળકો ને દુકાને જતા પૈસો બેપૈસા બાટતા જાય, મારા બાપુજી કયારેય હવેલી,કે મંદિર દેવ દર્શન માટે જતા નહીં,  શ્રદ્ધા થી જતા હોય તેને રોકતા પણ નહીં એ તેમની ટીક્કા પણ કરતા નહીં.. મારી બા ની શ્રદ્ધા માં પણ તેઓ એ ક્યારેય   રોક્યા કે ટોકયા ના હતા..
Bapuji-Vallabh Bapa
             મારી બા શ્રદ્ધાળુ  ઘરમાં ઠાકોરજીની સેવા થાય પણ  ચુસ્ત નહીં, અમારા ઘેર   તેમના બેનપણી રામકુંવર માસી , રામ કુંવર માસી ના ઘેર મહાસતીજી ઓરવા આવે ,મારા બા ને  રામકુંવર માસીને હિસાબે મોટાભાગ ના મહાસતીજી સાથે ધરાબો આ ધરાબા ને લઈ અમારે ત્યાં કોઈક કોઈક વાર પધારે, માર બા તેમને શ્રદ્ધા પૂર્વક ઓરવે પણ ખરા..!!!
                  મારી બા  ના સંસ્કાર ,નાની ઉંમરે મારા માં પણ ઉતર્યા, મારી બા ની આંગળી પકડી દરરોજ હું બાવાવાળા પરાની નાની હવેલી જે સમયે હરિબાની હવેલી તરીકે પ્રખ્યાત હતી, આજની મથુરેશજીની હવેલી તરીકે ઓળખાય છે જતો , ત્યાં મુખયાણી હરિબા હતા તેમનો મારા પર સારો એવો પ્રભાવ, મને પણ હરિબા લાગણી થી બોલાવે પ્રસાદી નો મોહન થાળ વાટકો ભરી આપે, હું અને હરિબા ગાંડીઘેલી વાતો કરીએ, હરિબા કમરેથી વાંકા વળી ગયેલા, નીચીદડીના ખુબજ રૂપાળા,ચાંદી જેવા સફેદ વાળ મોઢા ઉપર કરચલી તેમાંથી નીતરતો તેમના લાલા પ્રત્યે નો પ્રેમ, શ્રદ્ધા, લાગણી રૂપી ભક્તિ ભાવ.. મેં રામ ભક્ત શબરી ને નથી જોયા ...!!! પણ મારા મનમાં આજે પણ ભાવ જાગે કે શબરી હરિબા જેવાજ હશે...!!!હરિબા સાથે વાતો કરતા પ્રશ્ન થાય કે હરિબાની ઊંચી કાંધી ઉપરથી હરિબા વાસણ કેમ ઉતરતા હશે ? હું હરિબા ને આપ્રશ્ન પૂછું, હરિબા મને જવાબ આપે કે હું લાલને કહું એટલે મારો લાલો મને ઉતારી આપે.. અને હું નાનપણ ની શ્રદ્ધા રૂપે માનું પણ ખરો... !!! બધાને હરિબા અને લાલા ના સબંધ ની હરખે હરખે વાતો પણ કરું.. હરિબા અને મારા બા ને લીધે હું  પણ શ્રદ્ધાળુ થવા લાગ્યો. હું પણ મારી બા સાથે ઠાકોરજી ની સેવા પૂજા કરવા લાગ્યો.. ઠાકોરજી સતત મારુ ધ્યાન રાખે છે,તેવો ભાવ થવા માંડ્યો..!!!
                     તેવામાં એક દિવસ ઓખો દિવસ રમત માં ગયો  રમત માં ને રમત લેસન ના થયી શક્યું.. રાતે યાદ આવ્યું, હું લેસન કરવા બેઠો મારા બા એ કહ્યું બધા નો સુવાનો સમય થઇ ગયો, બત્તી બંધ કરી સુઈ જા વહેલો સવારે ઉઠી લેસન કરી લેજે, ચિંતામાં ને ચિંતામાં નિંદર મોડી આવી , મોડું ઉઠાણું મેં મારી બા ને કીધું બા આજે હું નિશાળે નહીં જાવ, મારીબા એ કીધું ...કાં.. મેં જવાબ આપતા કીધું , "મેં લેસન નથી કર્યું,"સાહેબ મને ખીજાશે, અંગુઠા પકડાવશે, મારે નથી જવું,... મારી બા મને કહે લાલા પાસે માફી  માંગી લે..  નિશાળે જા... લાલા ઉપર ભરોસો રાખ, મનમાં મનમાં "શ્રીકૃષ્ણ શરણમ મમહ" બોલતો જા,  લાલો તને  નહીં ખીજવા દયે ...હું તો મારીબા નું માની આંખે રસ્તે કૃષ્ણ નું નામ લેતો ગયો.. રસ્તા માં જેટલી ગયો મળી તેના પૂછડા માથે ચડાવતો ગયો, મારી  પંડ્યા પ્રાયમરી સ્કૂલ નો રસ્તો ખોડપરા મેઈન રોડ ત્યાં રસ્તામાં શંકરની દેહરી આવે ત્યાં શંકર ને પગે લાગ્યો તેનું દૂધનું ચરણામૃત લીધું.. તો પણ અમારા વર્ગ શિક્ષક અબ્બાસ સાહેબે શિક્ષા કરી  હાથમાં  ડસ્ટર માર્યું, કલાસ ની બહાર અંગુઠા પકડાવ્યા,  મનમાં ને મન માં વિચારું કે મારીબા, અને લાલા પાર ભરોસો રાખ્યો ત્યારે આ ભોગવવું પડ્યું ને.. મારી  સાથેનો એક છોકરો ખોટુંબહાનુ કાઢી છટકી ગયો, હું સાચું બોલ્યો તો ફસાઈ ગયો.. મને ત્યારે થયું કે મેં મારી રીતે આસમશ્યા નું નિરાકરણ કર્યું હોત તો.. કદાચ હું પેલા છોકરાની જેમ બચી પણ જાત.. ત્યારથી મનમાં લાગી આવ્યું કે બીજા ની વાત નો ભરોસો કરવો નહીં.. ઉછીની તાકાત પર જંગ લડી શકાય નહીં.. મેં લાલા ની અને મારી બા ની  તાકાત ઉપર વિશ્વાસ રાખ્યો તો ભોગવવું  પડ્યું ને .., મેં મનોમન નક્કી કર્યું કે જંગ લડવા માટે પોતાની તાકાત હોવી જરૂરી છે..
                      ભગવાન છબી, ફોટા કે પાણા માં નથી, ભગવાન તમારા મયલામાં  જ છે,એ ને બહાર શોધવાની જરૂર નથી આ વાત જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ સમજાવા માંડી..
                    એટલેજ આપણા બધા ગ્રંથો ભગવદ્દ ગીતા, બાઇબલ, કુરાન , ગુરુ ગ્રંથસાહિબ  માં એકજ લીટી નો સંદેશ છે "આત્મસો પરમાત્મા" એટલેજ ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે  સૌ પ્રથમ હું તમારામાં બિરાજુ છું, તમે તમારી જાત પર વિશ્વાસ રાખો એટલે સમજો તમે મારા પર વિશ્વાસ રાખો છો, તમે તમારું ધાર્યું પરિણામ મેળવી શકશો..
                     જો આપણા માં આત્મ વિશ્વાસ ન હોય આપણું દૃઢમંનોબળ ના હોય તો તમારે કોઈ ને કોઈ પાર વિશ્વાસ રાખવોજ પડે, પછી તે આપણા માં-બાપ, કોઈ વડીલ,શિક્ષક, ભાઈભાંડું, મિત્ર યાર દોસ્ત, કોઈ ગુરુ, કોઈ સંત, મહાત્મા કોઈ પણ પર તમારે વિશ્વાસ મુકવોજ પડે, અને જરૂરી પણ છે જ,આમાંથી કોઈ ના પણ હોય તો અંતે તમે કોઈ પણ મૂર્તિ પાર વિશ્વાસ મુકો.. આબધું તમારા કોઈ કાર્ય પારપાડતું નથી માત્ર ને માત્ર તમારા માં વિશ્વાસ જગાવે છે..  તે તમારા બુસ્ટર માત્ર છે ,તાકાત તો તમારી પોતાનીજ છે અને જંગ તમારી પોતાની તાકાત જ જીતાડે છે..
અંત માં આપણે બધાએ અનુભવેલ એક  ઉદાહરણ આપુ.. આપણા બધાના ઘરમાં કોઈ અણસમજુ બાળક હોય , ઘર માં લાઈટ જાય, અંધારું થઈ ગયું હોય, એક બાળક ને બીજા બાજુના ઓરડા માંથી મીણબતી બાકસ લાવવાનું કહો... તો... બાળક ..કહેશે..  દાદા, દાદી  મમ્મી, પાપા જે કોઈ હશે તેને કહેશે...અંધારું છે મને બીક લાગે.. આપણે કહેશું કે ત્યાં ભગવાન છે.. તો પણ ઉ...હુ ..મને બીક લાગે.. થોડીવાર પછી પાછું કહેશો કે બેટા હું અહી બેઠો છું ને ..તને શેની બીક લાગે..જા... જા...મારો દીકરો બહાદુર છે ને.. એ બાળક તમારા પર ભરોસો રાખી અંધારમાંથી બાક્સ મીણબત્તી લઇ આવે છે.. આબતાવે છે કે બાળક ને હજી ભગવાન પર ભરોસો નથી  તે કદાચ અંધારામાં કાઈ અડચણ આવેતો ભગવાન બચાવવા આવે અને નપણ આવે,  પરંતુ જ્યારે પોતાના (દાદા, દાદી, મમમી પપ્પા) પર વિશ્વાસ છે..જ  .. કે તે તો મારી બાજુમાં હજરા હજુર છે તે તરતજ   મીણ બત્તી બકસ લઇ આવશે..  તે તેની મદદે જાય કે ના પણ જાય તે પછીની વાત છે...!!!  પણ તેના પર નો વિશ્વાસ બાળક ને તેની જંગ જીતાડે છે.. દાદા ,દાદી,મમ્મી, પપ્પા પરનો વિશ્વાસ બાળક નું બુસ્ટર માત્ર છે , તાકાત તો બાળક ની પોતાનીજ છે
જીવન ના આટલા વર્ષો માં એટલું જાણ્યું કે ઉછીની તાકાત ઉપર કયારેય પણ જંગ લડવી નહીં..અને જ્યાં શ્વાસ હોય ત્યાં વિશ્વાસ કરો પથ્થર ને ક્યારેય પણ શ્વાસ હોતો નથી...
--------ગુણવંત ધોરડા
                     જેતપુર
27-એપ્રિલ-2020
નોંધ.. આસાથે મુકેલ ફોટો ગ્રાફ મારા બા , બાપુજી નો છે..