Sunday, May 17, 2020

ઉછીની તાકાત ઉપર... જંગ જીતી ના શકાય..

Monghi Ba-My mother
મારી ઉંમર લગભગ દસ બાર વરસ ની હશે,  મારી બા ખુબજ શ્રદ્ધાળુ , અમારો પરિવાર પુષ્ટિ માર્ગીય પરિવાર, મારા બાપુજી ને અમે બધા ભાંડરડા કાકા કહેતા, મારા કાકા ની વિચાર ધારા રેશનલિઝમ, પોતે પોતાના સ્વતંત્ર વિચાર ધારા થી ચાલે, તેઓ કયારેય પણ કોઈના દોરવાય ચાલ્યા હોય તેવું મારી સભારણમાં જોયું કે જાણ્યું નથી, આવિચાર ધારા તેમના જીવનમાં આવી ..તે ઘટના ,  તેઓ ધંધા માટે 14 વરસની ઉંમરે મોટાભાઈ  જેરામભાઈસાથે સરદારગઢ થી આગબોટ માં કરાચી ગયા,  ત્યાં બંને ભાઈ ઓ એ તનતોડ મહેનત કરી પોતાની કુનેહ થી પ્રતિષ્ઠા મેળવી, શરૂઆત ના દિવસો માં પોતાના એક મિત્ર સાથે શ્રાવણ મહિના ના સોમવારે સમુદ્ર કાંઠે દરિયાની ભરતી માં શિવલિંગ ડૂબેલું રહેતું  ત્યાં દરિયામાં નાહવા તથા દર્શન કરવા જાય ,તેમાં ચાર પાંચ ફૂટ પાણી માં શિવલિંગ હોય ,તેમાં શુદ્ધાળુ ભક્તો ચાર આંના આઠ આના  જેવા સિક્કા ભક્તિ ભાવ થી  શિવજી ને ચરણે પધરાવે.  અમુક માણસો ડૂબકી મારી શિવલિંગ ને સ્પર્શ કરી પાવન થાય, મારા બાપુજી અને તેનો મિત્ર પણ ડૂબકી મારે પણ મૂર્તિને સ્પર્શ કરવા સાથે મુઠી ભરી સિક્કા ઉપાડે, દરિયા કિનારે દાલપકવાન ની લારી હોય , તે પૈસામાંથી બંને મિત્રો ધરાઈ ને  દાલ પકવાનખાય ને બાકીના જે વધે તેમાંથી ગરીબ-ગુરબા ને પ્રસાદ રૂપે જમાડે, તેવો તેમનો ક્રમ થઈ ગયો.. ભગવાન ને આબધી વસ્તુ ની જરૂર નથી તેવું મનમાં ભરાઈ ગયું તે મૃત્યુ  પર્યન્ત કાયમ રહ્યું
                      મારા કાકા(બાપુજી) છેલ્લા દિવસો સુધી નિત્ય ગાય ને લીલું, કાબર, કૂતરા,કાગડા ને ગાંઠિયા ખવડાવતા, નાનાના બાળકો ને દુકાને જતા પૈસો બેપૈસા બાટતા જાય, મારા બાપુજી કયારેય હવેલી,કે મંદિર દેવ દર્શન માટે જતા નહીં,  શ્રદ્ધા થી જતા હોય તેને રોકતા પણ નહીં એ તેમની ટીક્કા પણ કરતા નહીં.. મારી બા ની શ્રદ્ધા માં પણ તેઓ એ ક્યારેય   રોક્યા કે ટોકયા ના હતા..
Bapuji-Vallabh Bapa
             મારી બા શ્રદ્ધાળુ  ઘરમાં ઠાકોરજીની સેવા થાય પણ  ચુસ્ત નહીં, અમારા ઘેર   તેમના બેનપણી રામકુંવર માસી , રામ કુંવર માસી ના ઘેર મહાસતીજી ઓરવા આવે ,મારા બા ને  રામકુંવર માસીને હિસાબે મોટાભાગ ના મહાસતીજી સાથે ધરાબો આ ધરાબા ને લઈ અમારે ત્યાં કોઈક કોઈક વાર પધારે, માર બા તેમને શ્રદ્ધા પૂર્વક ઓરવે પણ ખરા..!!!
                  મારી બા  ના સંસ્કાર ,નાની ઉંમરે મારા માં પણ ઉતર્યા, મારી બા ની આંગળી પકડી દરરોજ હું બાવાવાળા પરાની નાની હવેલી જે સમયે હરિબાની હવેલી તરીકે પ્રખ્યાત હતી, આજની મથુરેશજીની હવેલી તરીકે ઓળખાય છે જતો , ત્યાં મુખયાણી હરિબા હતા તેમનો મારા પર સારો એવો પ્રભાવ, મને પણ હરિબા લાગણી થી બોલાવે પ્રસાદી નો મોહન થાળ વાટકો ભરી આપે, હું અને હરિબા ગાંડીઘેલી વાતો કરીએ, હરિબા કમરેથી વાંકા વળી ગયેલા, નીચીદડીના ખુબજ રૂપાળા,ચાંદી જેવા સફેદ વાળ મોઢા ઉપર કરચલી તેમાંથી નીતરતો તેમના લાલા પ્રત્યે નો પ્રેમ, શ્રદ્ધા, લાગણી રૂપી ભક્તિ ભાવ.. મેં રામ ભક્ત શબરી ને નથી જોયા ...!!! પણ મારા મનમાં આજે પણ ભાવ જાગે કે શબરી હરિબા જેવાજ હશે...!!!હરિબા સાથે વાતો કરતા પ્રશ્ન થાય કે હરિબાની ઊંચી કાંધી ઉપરથી હરિબા વાસણ કેમ ઉતરતા હશે ? હું હરિબા ને આપ્રશ્ન પૂછું, હરિબા મને જવાબ આપે કે હું લાલને કહું એટલે મારો લાલો મને ઉતારી આપે.. અને હું નાનપણ ની શ્રદ્ધા રૂપે માનું પણ ખરો... !!! બધાને હરિબા અને લાલા ના સબંધ ની હરખે હરખે વાતો પણ કરું.. હરિબા અને મારા બા ને લીધે હું  પણ શ્રદ્ધાળુ થવા લાગ્યો. હું પણ મારી બા સાથે ઠાકોરજી ની સેવા પૂજા કરવા લાગ્યો.. ઠાકોરજી સતત મારુ ધ્યાન રાખે છે,તેવો ભાવ થવા માંડ્યો..!!!
                     તેવામાં એક દિવસ ઓખો દિવસ રમત માં ગયો  રમત માં ને રમત લેસન ના થયી શક્યું.. રાતે યાદ આવ્યું, હું લેસન કરવા બેઠો મારા બા એ કહ્યું બધા નો સુવાનો સમય થઇ ગયો, બત્તી બંધ કરી સુઈ જા વહેલો સવારે ઉઠી લેસન કરી લેજે, ચિંતામાં ને ચિંતામાં નિંદર મોડી આવી , મોડું ઉઠાણું મેં મારી બા ને કીધું બા આજે હું નિશાળે નહીં જાવ, મારીબા એ કીધું ...કાં.. મેં જવાબ આપતા કીધું , "મેં લેસન નથી કર્યું,"સાહેબ મને ખીજાશે, અંગુઠા પકડાવશે, મારે નથી જવું,... મારી બા મને કહે લાલા પાસે માફી  માંગી લે..  નિશાળે જા... લાલા ઉપર ભરોસો રાખ, મનમાં મનમાં "શ્રીકૃષ્ણ શરણમ મમહ" બોલતો જા,  લાલો તને  નહીં ખીજવા દયે ...હું તો મારીબા નું માની આંખે રસ્તે કૃષ્ણ નું નામ લેતો ગયો.. રસ્તા માં જેટલી ગયો મળી તેના પૂછડા માથે ચડાવતો ગયો, મારી  પંડ્યા પ્રાયમરી સ્કૂલ નો રસ્તો ખોડપરા મેઈન રોડ ત્યાં રસ્તામાં શંકરની દેહરી આવે ત્યાં શંકર ને પગે લાગ્યો તેનું દૂધનું ચરણામૃત લીધું.. તો પણ અમારા વર્ગ શિક્ષક અબ્બાસ સાહેબે શિક્ષા કરી  હાથમાં  ડસ્ટર માર્યું, કલાસ ની બહાર અંગુઠા પકડાવ્યા,  મનમાં ને મન માં વિચારું કે મારીબા, અને લાલા પાર ભરોસો રાખ્યો ત્યારે આ ભોગવવું પડ્યું ને.. મારી  સાથેનો એક છોકરો ખોટુંબહાનુ કાઢી છટકી ગયો, હું સાચું બોલ્યો તો ફસાઈ ગયો.. મને ત્યારે થયું કે મેં મારી રીતે આસમશ્યા નું નિરાકરણ કર્યું હોત તો.. કદાચ હું પેલા છોકરાની જેમ બચી પણ જાત.. ત્યારથી મનમાં લાગી આવ્યું કે બીજા ની વાત નો ભરોસો કરવો નહીં.. ઉછીની તાકાત પર જંગ લડી શકાય નહીં.. મેં લાલા ની અને મારી બા ની  તાકાત ઉપર વિશ્વાસ રાખ્યો તો ભોગવવું  પડ્યું ને .., મેં મનોમન નક્કી કર્યું કે જંગ લડવા માટે પોતાની તાકાત હોવી જરૂરી છે..
                      ભગવાન છબી, ફોટા કે પાણા માં નથી, ભગવાન તમારા મયલામાં  જ છે,એ ને બહાર શોધવાની જરૂર નથી આ વાત જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ સમજાવા માંડી..
                    એટલેજ આપણા બધા ગ્રંથો ભગવદ્દ ગીતા, બાઇબલ, કુરાન , ગુરુ ગ્રંથસાહિબ  માં એકજ લીટી નો સંદેશ છે "આત્મસો પરમાત્મા" એટલેજ ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે  સૌ પ્રથમ હું તમારામાં બિરાજુ છું, તમે તમારી જાત પર વિશ્વાસ રાખો એટલે સમજો તમે મારા પર વિશ્વાસ રાખો છો, તમે તમારું ધાર્યું પરિણામ મેળવી શકશો..
                     જો આપણા માં આત્મ વિશ્વાસ ન હોય આપણું દૃઢમંનોબળ ના હોય તો તમારે કોઈ ને કોઈ પાર વિશ્વાસ રાખવોજ પડે, પછી તે આપણા માં-બાપ, કોઈ વડીલ,શિક્ષક, ભાઈભાંડું, મિત્ર યાર દોસ્ત, કોઈ ગુરુ, કોઈ સંત, મહાત્મા કોઈ પણ પર તમારે વિશ્વાસ મુકવોજ પડે, અને જરૂરી પણ છે જ,આમાંથી કોઈ ના પણ હોય તો અંતે તમે કોઈ પણ મૂર્તિ પાર વિશ્વાસ મુકો.. આબધું તમારા કોઈ કાર્ય પારપાડતું નથી માત્ર ને માત્ર તમારા માં વિશ્વાસ જગાવે છે..  તે તમારા બુસ્ટર માત્ર છે ,તાકાત તો તમારી પોતાનીજ છે અને જંગ તમારી પોતાની તાકાત જ જીતાડે છે..
અંત માં આપણે બધાએ અનુભવેલ એક  ઉદાહરણ આપુ.. આપણા બધાના ઘરમાં કોઈ અણસમજુ બાળક હોય , ઘર માં લાઈટ જાય, અંધારું થઈ ગયું હોય, એક બાળક ને બીજા બાજુના ઓરડા માંથી મીણબતી બાકસ લાવવાનું કહો... તો... બાળક ..કહેશે..  દાદા, દાદી  મમ્મી, પાપા જે કોઈ હશે તેને કહેશે...અંધારું છે મને બીક લાગે.. આપણે કહેશું કે ત્યાં ભગવાન છે.. તો પણ ઉ...હુ ..મને બીક લાગે.. થોડીવાર પછી પાછું કહેશો કે બેટા હું અહી બેઠો છું ને ..તને શેની બીક લાગે..જા... જા...મારો દીકરો બહાદુર છે ને.. એ બાળક તમારા પર ભરોસો રાખી અંધારમાંથી બાક્સ મીણબત્તી લઇ આવે છે.. આબતાવે છે કે બાળક ને હજી ભગવાન પર ભરોસો નથી  તે કદાચ અંધારામાં કાઈ અડચણ આવેતો ભગવાન બચાવવા આવે અને નપણ આવે,  પરંતુ જ્યારે પોતાના (દાદા, દાદી, મમમી પપ્પા) પર વિશ્વાસ છે..જ  .. કે તે તો મારી બાજુમાં હજરા હજુર છે તે તરતજ   મીણ બત્તી બકસ લઇ આવશે..  તે તેની મદદે જાય કે ના પણ જાય તે પછીની વાત છે...!!!  પણ તેના પર નો વિશ્વાસ બાળક ને તેની જંગ જીતાડે છે.. દાદા ,દાદી,મમ્મી, પપ્પા પરનો વિશ્વાસ બાળક નું બુસ્ટર માત્ર છે , તાકાત તો બાળક ની પોતાનીજ છે
જીવન ના આટલા વર્ષો માં એટલું જાણ્યું કે ઉછીની તાકાત ઉપર કયારેય પણ જંગ લડવી નહીં..અને જ્યાં શ્વાસ હોય ત્યાં વિશ્વાસ કરો પથ્થર ને ક્યારેય પણ શ્વાસ હોતો નથી...
--------ગુણવંત ધોરડા
                     જેતપુર
27-એપ્રિલ-2020
નોંધ.. આસાથે મુકેલ ફોટો ગ્રાફ મારા બા , બાપુજી નો છે..

 

No comments:

Post a Comment