![]() |
| Panaapa Sir-Jetpur |
આવા જેતપુર સાથે ચાર સબંધો ની વાત કરી મૂળ વાત પર આવીશું એક આયરીશ લેડી જે આયર્લેડ ના વતની હતા ડો. મિસ. એમ. ઇ. બોન્ડ જેતપુર આખું તેને મેમ સાહેબ તરીકે ઓળખતું, બીજા હતા ગિરિધર દત્ત સાહેબ જે આજના બાંગ્લાદેશ માં આવેલ સિલહટના વતની હતા, તેઓ શુદ્ધ વૈદિક બ્રાહ્મણ પરંપરા વાળાપરિવાર માંથી હતા.. તેઓ પ્રથમ સુરેન્દ્રનગર માં સેવા પ્રદાન કરતા હતા 1941 ની આસપાસ જેતપુર માં અંધારા ઉલેચવા "જેતપુર ઇલેક્ટ્રિક સપ્લાય કંપની લિમિટેડ" ની સ્થાપના થઇ જેને આમ જનતા "પાવર હાઉસ "તરીકે ઓળખતી હતી આજે પણ આવિસ્તાર જુના પાવર હાઉસ તરીકે ઓળખાય છે દત્ત સાહેબ 1946 આસપાસ જેતપુર ઇલેક્ટ્રિક સપ્લાય કમ્પની લિમિટેડ માં જોડાયા જીવન પર્યન્ત જેતપુર ખોડપરા વિસ્તાર માં રહ્યા, ત્રીજી વ્યક્તિ મારતન્ડ વિષ્ણુ શિતૂત સાહેબ જ્ઞાતિ એ ચુસ્ત બ્રહ્મણ કોંકણ રત્નાગિરી ના વતની બાટવા, મોરબી ,સુરેન્દ્રનગર સેવાઓ આપી જેતપુર કમરીબાઈ હાઈસ્કૂલ માં હેડમાસ્તર તરીકે સેવા આપી,કુંભણી ગર્લ્સ હાઈસ્કૂલ ના સ્થાપક હેડમાસ્તર તરીકે રહી નિવૃત્તિ સુધી સેવા આપી
ચોથા એમ એમ. પન્નાપા સાહેબ..
આમ ચારે શખસિયતે અલગ અલગ ક્ષેત્રમાં જેતપુર ની સેવા કરી મિસ. એમ. ઇ. બોન્ડએ આરોગ્ય ક્ષેત્રે જેતપુર ને તંદુરસ્ત કર્યું , દત્ત સાહેબે સતત જેતુપુર ને તમસ માંથી ઉજાસ તરફ લઇ જવાનો પ્રયત્ન કર્યો, દત્તસાહેબે ઓછું બોલી સહજતા થી જેતપુર ના અંધારા ઉલેચ્યા.. ત્રીજા શિતુત સાહેબે જ્ઞાન નો ઉજાસ પાથરી જેતપુર ની જનતા ને ભણતી કરી.... આમ આ ચારે ચર વ્યક્તિ સવાયા ગુજરાતી ,સવાયા જેતપુરયન જીવન પર્યન્ત બની રહ્યા..
પન્નાપા સાહેબ મૂળ મૈસુર પાસેના ગોણી કોપલ ગામ ના વાતની
તેમનું પૂરું નામ મનીઆપન્દ્રા મેદયપ્પા પન્નાપા.
(મની અપ્પા મંડપ્પા પન્નાપા)
માતા નું નામ સીતાદેવી.
મોટાભાઈ નું નામ આયપ્પા
નાનાભાઈ નું નામ તંજપ્પા
ચારબહેનો હતી તેઓ ત્રણ ભાઈ માં વચ્ચેટ ભાઈ હતા મોટાભાઈ મિલિટ્રી માં ઊંચ હોદા પર હતા, પિતા શ્રી મોટા જમીનદાર હતા સંતરા અને ચોખા ની ખેતી કરતા હતા. તેમનું મૂળ ગામ ગોણી કોપલ જીલ્લો કુર્ગ રાજ્ય મૌસુર સાઉથ પ્રોવિન્સ જેતે સમયે હિન્દુસ્તાન પાંચ પ્રોવિન્સ માં વહેંચાયેલા હતું નોર્થ પ્રોવિન્સ, સાઉથ પ્રોવિન્સ, ઇસ્ટ પ્રોવિન્સ,વેસ્ટ પ્રોવિન્સ, સેન્ટ્રેલ પ્રોવિન્સ..
પન્નાપા સાહેબે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ માં પૂરું કરી મૈંસુર માં ઊચ્ચ શિક્ષણ બી. એ. બી.એલ. પ્રાપ્ત કર્યું. તેમના પરિવાર અને સમાજ માં મિલિટરી માં કારકિર્દી બનવવામાં પ્રોત્સાહિત કરવામાં આવતા, આઝાદ ભારત ના પ્રથમ ફિલ્ડ માર્શલ જનરલ કરીઅપ્પા પન્નાપા સાહેબના કુટુંબીક કાકા થતા હતા, જનરલ થિમૈયા માતૃપક્ષે સબંધ માં થતા . જ્યારે જયારે તેમને પારિવારિક પ્રસંગે મળવાનું થતું, તેમની સાથે યુદ્ધ ની શૈર્ય, બહાદુરી મેડલ ની વાતો કરતા સાંભળતા તેને પણ મિલિટરી કારકિર્દી બનવાનું મન બનાવી લીધું, તે સમયે ઇન્ડિયન બ્રિટિશ આર્મી "રોયલ આર્મી " તરીકે ઓળખાતી હતી. બ્રિટને તે સમયે જ્યાં જ્યાં પોતાનું સામ્રાજ્ય હતું ત્યાં ત્યાં પોતાના તાબા માં મિલિટરી ની ત્રણે પાંખ વિકસાવી હતી, આગળ જતાં આ લાભ આઝાદ ભારત ને ખુબજ મળ્યો.
પન્નાપા સાહેબે રોયલ મિલ્ટર એકેડેમી જોઈન્ટ કરી, સઘન મિલિટરી ટ્રેનિંગ લીધી, ટ્રેનિંગ પૂર્ણ કરી રોયલ મિલિટરી માં જોડાયા.. 1939 માં બીજા વિશ્વ યુદ્ધ નો પ્રારંભ થયો મિસ્ટર એમ. એમ. પન્નાપને ટુકડી ના કમાન્ડર તરીકે બર્મા બોર્ડ ઉપર તૈનાત કરવામાં આવ્યા જર્મની અને મિત્ર દેશો વચ્ચે યુદ્ધ લાડયું બ્રિટન મિત્ર દેશો સાથે હતું. પૂ. મહાત્મા ગાંધી એ તે સમયે પોતાની ચળવળ સ્થગિત કરી સપૂર્ણ દેશ ને બ્રિટન ની તરફેણ માં ઉભા રેહવા કહ્યું.. ભારતીય સૈનિક જી જાન થી લડ્યા, બર્મા મોરચે પણ ખુબજ મોટી લડાઈ થઈ એમ.એમ પન્નાપા ની ટુકડી બહાદુરીથી દુશ્મનો નો મુકાબલો કરેછે સામે દુશ્મનો વધતા જાયછે, એમ. એમ. પન્નાપા વિચારે છે કે મોરચો મુકી સલામત સ્થળે નીકળી જવું તેને થોડા આગળ જવા દઈ વ્યુહાત્મક સ્થળે ગેરીલા પદ્ધતિ થી હુમલો કરી પરાસ્ત કરવા ... આવિકલ્પ જોખમી હતો ,બીજો વિકલ્પ બીજી ટુકડીને મદદ માટે બોલાવવી ઉપરથી આદેશ મળ્યો જે છે તેનાથી મોરચો સંભાળો, બીજી ટુકડી અપ્રાપ્ય છે, જોખમી વિકલ્પ સ્વીકારી,અમલમાં મુક્યો , વ્યૂહતમક સ્થળે પન્નાપા ટુકડી એ હુમલો કર્યો, પરિણામ પન્નાપા ની ટુકડી ની તરફેણ માં આવ્યું, પન્નાપા ગોળીઓથી ઘાયલ થયા. મિલિટરી ની હોસ્પિટલ માં સઘન સારવાર લઈ , આરામ માટે વતન આવ્યા, પગ માં ગોળી ના નિશાન કાયમ રહ્યા જમણા હાથ ની આંગળીમાં ગોળી ઘસરકો કરી નીકળી ગઇ, ચામડી સાથે લેતી ગઈ ,આંગળી ઉપર સફેદ નિશાન રહી ગયું.
પન્નાપા વતન માં આવ્યા તેમનું અકલ્પનિય સ્વાગત થયું, તેમની વીરતા ની વાતો કરતા ગામ થાકતું નથી , પરિવારમાં ઉપડ્યા ઉપડતા નથી. અચાનક ભાભીએ તેમના હાથ ઉપર સફેદ ડાઘ જોયો ભાભી એ પૂછ્યું , ડાઘ કયારે થયો, ઇનજરી ની વાત કરી ,પણ ભાભી મોઢું મચકોડી ચાલી ગઈ ધીરે ધીરે પરિવાર માં આખા સમજમાં લાકડીયા તાર ની જેમ વાયુ વેગે વાત ફેલાઈ ગઇ પન્નાપાને કોઢ છે,
બહાદુરી કરી વતન માં જે મન મરતબો મળ્યો હતો તે સામાજિક ધિક્કાર માં પરિણમ્યો, પન્નાપાને અછૂત માનવ લાગ્યા, લોકો નો પણ વાંક ના હતો તે સમયે કોઢ ને અજ્ઞાનતા થી અસ્પૃશ્ય માનતા ચેપી રોગ માનતા, કુદરત નો અભિશાપ માનતા.. લોકો અપમાન કરતા ,, તુછકારવા મંડ્યા, કોઈ અક્ષમ્ય અપરાધ કર્યો હોય તેમ લોકો જોવા મંડ્યા, પોતે હિણપત અનુભવવા મંડ્યા
પન્નાપા નું મન મિલિટરી માંથી ઉઠી ગયું મિલિટરી માંથી તો શું પોતાની જાત અને સમાજ કુટુંબ બધાં પરથી ઉઠી ગયું મિલિટરી માંથી રાજીનામુ આપ્યું, વતનથી દૂર નીકળી જવું જ્યાં મને કોઈ ઓળખે નહીં હું કોઈ ને ઓળખું નહીં જે સમાજ, પરિવાર ને હું મારો મારો કરું એ જ સમાજ મારો ના હોય તો સમાજ મને ધકો મારે, જાકારો આપે પહેલા હુંજ એને ધિક્કારું અને જાકારો કેમ ના આપી શકુ..!!!
પન્નાપા એ પોતાના ખાસ મિત્ર જે તાજેતર માં સ્થપાયેલી સર આદમજી મુસ્લિમ હાઈસ્કૂલ માં હેડ માસ્ટર ને પોતાની આપવીતી પોતાના પત્રમાં લખી જણાવે છેકેજીવનમાં હારવાની કાદર ઉપર છું વતનમાં સ્વમાન ના ભોગે રહી શકુ તેમ નથી..સમાજ પરિવાર સ્વમાનભેર જીવવાદે તેમ નથી આવી કપરી પરિસ્થિતિમાં કમને વતન છોડવા સિવાય રસ્તો નથી.. તેમના મિત્ર પત્ર વાંચી વળતો ટેલિગ્રામ કરેછે "કમ ઇમિડીએટલી" તાર પન્નાપા ના હાથ આવેછે.. બીજેજ દિવસે વતન ની માટી માથે ચડાવે છે, વતન ના ઝાડ પશુ પક્ષી ને ધરાઈ ને નીરખે છે ,વતન ની હવા ઊંડા ઊંડા શ્વાસ લઈ શરીરમાં ભારે છે ..હવે ઝીંદગી માં ફરીથી આ હવા, આવતાવરણ મળવાનું નથી આયુવાન દુઃખી મને વતન ને છેલ્લા પહેલા રામ રામ કહી ધીરે પગલે વતન ની મહેક મનમાં સંઘરી ધીરે ધીરે ઘર છોડી જોજનું દૂર એક સાવ અજાણ્યા પ્રદેશ માં અજાણી ભાષા, અજાણી સંસ્કૃતિ, અજાણ્યા ખાન પાન બધુજ નવું ,અજાણ્યું કોઈ ઓળખતું પાળખતું નથી પોતે પણ એક સિવાય, કોઈ ને ઓળખતા નથી તેવા જેતપુર ગામ તરફ એકમાત્ર મિત્ર ના ભરોસે નીકળી પડ્યા..
સર આદમજી મુસ્લિમ હાઈસ્કૂલ માં કોટ પેન્ટ બ્લેક કલર ના શૂટ માં ગળામાં ટાઈ પાલિસ કરેલા બુટ માથે હેટ ટટાર ઝડપી ચાલ કોઈ અંગ્રેજ વાઇસરોય આવતો હોય તેમ હેડમાસ્તર ની ચેમ્બર તરફ આવે છે પરમિશન લઇ અંદર પ્રવેશે છે બંને મિત્રો મળે છે , ટ્રસ્ટી મંડળ ની મંજૂરી ની અપેક્ષા એ નિમણૂક પત્ર આપેછે અંગ્રેજી ના શિક્ષક તથા સ્પોર્ટ્સમેન હોવાને લઇ વ્યાયામ ને રમત ગમત નો વધારાનો હવાલો સોપાયો.. નીતિમતા થી કાર્ય કરતા ટ્રસ્ટીઓ તથા વિદ્યાર્થી માં લોકપ્રિય થતા ગયા...
કાળક્રમે સર આદમજી મુસ્લિમ હાઈસ્કૂલ બંધ પડી તેનો બધો સ્ટાફ છૂટો થઈ જેતપુર બહાર ગયો પન્નાપા સાહેબ કમરીબાઈ હાઈસ્કૂલ માં અંગ્રેજી ના શિક્ષક તરીકે જોડાયા.. લોકોમાં વિદ્યાર્થીમાં તથા સ્ટાફ માં લોકપ્રિય વધતી જ રહી...
ખોડપરા માં બાવાજી ઘી વાળા ના મકાન પાછળ બંધ ગલી માં રહેતા મણીભાઈ ચા વાળા નું પછવાળું ત્યાં પડતું ત્યાં બે રૂમ ,ઓસરી, રસોડું ડેલી બંધ મકાન ,થોડું રાચ રાચીલું ,એક રેડીયો તેનો અસબાબ આજીવન એકલાજ રહ્યા .પોતાના કામ પોતાની હાથેજ કરતા એના મકાન ના રૂમ ના દરવાજા ક્યારેય બંધ કરતા નહીં દરવાજા બધા જામ થઈ ગયા હતા અમે જ્યારે ત્યાં જતા હતા ત્યરે પૂછતાં કે દરવાજા કેમ બંધ નથી કરતા તે તેનો જવાબ એક જ રહેતો "મંદિર ના દરવાજા બંધ થાય પણ પન્નાપા સાહેબ ના દરવાજા બધા માટે ખુલ્લાંજ હોય" તેઓ ન્યુઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસ હમેશ વાંચતા , ધીરે ધીરે ગુજરાતી વાંચતા લખતા શીખી ગયા હતા તેઓ શુદ્ધ શાકાહારી હતા, તેનું જમવાનું જનતા લોજ એમ.જી. રોડ પરથી આવતું, આડોશ પડોશ માં પરિવારીક સંબધો હતા પણ આવરો જાવરો રાખ્યો ના હતો, તેમના પ્રદેશ ના ઉત્સવો ની વાત બધાને કરતા , બાળકોને રાજી કરી ઉજવતા, તેની કાયમી બેઠક ખોડપરા માં લાલજીભાઈ ધોબી, કાઠીરાજ પ્રિન્ટિંગ પ્રેસ જે કાઠિયાવાડ નો ચોથો પ્રેસ હતો , જૂનાગઢ ,ધોરાજી ઉપલેટા ગોંડલ થી છાપ કામના ઓર્ડર આવતા.. ત્યાં સાંજે અચૂક બેઠેલા જોવા મળે. 7 વાગ્યાની આજુબાજુ માં ડાયમંડ ટોકીઝ માં ઇન્ટરવેલ પછી નું પિક્ચર જોવે જમી ને રાત ના શો નું ઇન્ટરવેલ પહેલાનું પિક્ચર જોવે 365 દિવસ નોકરામ રાતે ઇન્ટર વેલ પછી ઘેર જય સુઇજાય. સવારે પાંચ વાગે ઉઠી કસરત કરી દસ વાગે અચૂક સ્કૂલે હોય રસ્તા માં જેટલા બાળકો મળે તે બધા ને ચોકલેટ આપતા જાય , ગાલેે ટપલી મારે, કોઈ ને માથે હાથ ફેરવે . કયારેક ચોલેટ સાથે ચોકસ્ટિક પણ આપતા હતા જીવનભર નીરવ્યસની રહ્યા. સ્કૂલે જતા હોય ત્યારે ટાપુભાઈ કરિયાણાની દુકાન, ચંદુભાઈ દરજીની દુકાન ત્યાં વરસ માં દર દિવાળીએ બે સૂટ અચૂક બનાવતા, આગળ દકાભાઈ દૂધવાળા ની ડેરી આગળ કાંતિ ભાઈ કદોઈ ની દુકાન બાજુમાં બાબુભાઇ લુહાર ની દુકાન હતી આગળ જતાં વલ્લભભાઈ ની સોડા પાન નીમોટી દુકાન, બાજુમાં શિવલાલ ભાઈ ની પંડ્યા પાન સામે રામદાસ ની ચાની દુકાન ભાનું શંકરભાઇ ની ગાંઠિયા ની દુકાન બાવાજી ની પાન ની દુકાન બધાને નામથી બોલાવતા જાય ..
મિલિટરી ની રહેણી કહેણી ને લઇ કાયમ અપડું ડેટ જ રહેતા ડ્રેસ તેની ઓળખ બની ગઈ હતી, પેન્ટ કોટ ટાઇ પાલિસ કરેલા ચકચકિત બુટ માથે હેટ ટટાર મિલિટરી ચાલ . મિલિટરી માં હોવા છતાં કયારેય તેમને ગુસ્સે થતા કોઈ એ જોયાનું જાણ્યુ નથી
તેઓ ખુબજ શ્રદ્ધાળુ હતા કોઈ એક ધર્મ માં ગોઠવાયા ના હતા, અંધશ્રદ્ધા માં બિલકુલ માનતા નહીં પૂજાઅર્ચના નિયમિત વહેલી સવારે કરતા, મંદિરે અચક દર્શન કર્તાડાર્ક ધર્મને પૂરું સન્નમાન આપતા...
સમયે સમય નું કામ કર્યું હાઈસ્કૂલ માંથી નિવૃત થયા, છતાં સન્માન પૂર્વક સમય પસાર કરી શકે તેમાટે માનદ વેતન થી મેનેજમેન્ટ તેને પ્રવૃત રાખ્યા,તેમને ક્યારેય પણ ધન સંચય કર્યો નહીં, બધી પોતાની આવક માંથી જરૂર પૂરતું રાખી બાકી નું બધું જરૂરિયાત વાળા વિદ્યાર્થી ને આપી દેતા.. રમત ગમત ના શોખ ને લઈ રવિવારે ક્રિકેટ ખુબજ રમતા ક્રિકેટ નું કોચિંગ પણ આપતા, નબળા વિદ્યાર્થી ને રવિવારે પોતાના ઘેર નિઃશુલ્ક ભણાંવતા હતા.
સમય જતાં શરીરે શરીર નું કામ કર્યું, શરીર ક્ષીણ થવા માંડ્યું..આડોશો પાડોશી મણીભાઈ ગોડા, તેમની પાસે જ ભણી ડોકટર બનેલા જેતપુર ના પ્રથમ એમ.ડી. ડો. બી. વી. ધોરડા સાહેબ,શ્રી મગનભાઈ જોશી, શ્રી સુખવત ભાઈ વસાવડા, ડો. જાની સાહેબ, મગનભાઈ મહેતા, રોહિતભાઈ કામદાર તથા સર્વે સહ કર્મી શિક્ષકો હતા
અંતિમ સમય આવ્યો ત્યારે બધાએ વતન માં જવા ખૂબ સમજાવ્યા. ત્યાંથી પરિવાર ને બોલાવવા માટે આગ્રહ કર્યો પણ અંતિમ ક્ષણ સુધી પોતાની ઝીદ ના છોડી.. તેણે કેવા અપમાન સહન કર્યા હશે ?કેવા ઝેર ના ઘૂંટડા પીધા હશે ?કે આટલા વર્ષે પણ આ કડવાશ રતીભાર પણ ઓછી ના થઇ શકી આ માણસ પરિવાર ના સમજ ન ઝેર પોતે પી વિદ્યાર્થીઓ માં અને જેતપુર વાસીઓ ના મનમાં એક આગવું સ્થાન મેળવી અમર થઈ ગયો...
જેતપુર નગરપાલિકાએ પન્નાપા સાહેબ ની સ્મૃતિ માં ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરી "પન્નાપા ટ્રોફી " વિજેતા ને આપવામાં આવતી હતી, થોડા સમય પછી તે ટુર્નામેન્ટ પણ બંધ કરવા માં આવી.. જેતપુર માં તેની કાયમી સ્મૃતિ જળવાય તેવું કઈક આયોજન કરવું જોઈએ.
--------ગુણવંત ધોરડા
જેતપુર
16-મેં-2020
નોંધ:-પૂરક માહિતી પ્રો. એ. સી. રાવલ સાહેબ
(જૂનો કાઠીરાજ પ્રિન્ટિંગ પ્રેસ)
ફોટો સૌજન્ય:- શ્રીરજનીકુમાર પડ્યા, સાહિત્યકાર લેખક
શ્રી જીતુભાઇ ધાધલ જેતપુર
પન્નાપા સાહેબ જે ઘર માં રહેતા તે ઘર
પાડી નવું બાંવ્યું છે પણ મીટર આજની
તારીખ માં મીટર પન્નાપા સાહેબ ના નામે
જ છે તેનો ફોટોગ્રાફ તથા બીલ નો
ફોટોગ્રાફ મકાન મલિક અનિલ ભાઈ
ધારેક પાસે મળ્યા છે..
પૂર્ણ




No comments:
Post a Comment