Saturday, May 16, 2020

પુરુષાર્થ ની પાંખે" -રામજી રાજા પટેલ

ઓગણીસમી સદી ના આખર વરસો,  વીસમી સદીની શરૂઆત ના  વરસો દુકાળ ના વરસો 1899 માં દુકાળ પડ્યો ત્રણ વરસ  સતત 1902 સુધી દુકાળ રહ્યો, માણસોની કેડ  ભાંગી નાખી આવા કપરાં કાળમાં જેતપુર પરગણાં ના વાડાસડા ગામડાની પણ કેડ ભાગી નાખી, રાજા પટેલ નું ખોરડું પણ બકાત ના રહ્યું, રાજા પટેલ ને પાંચ પાંચ દીકરા મોટો દેવજી,વાલજી,લખમણ, ભગવાન અને નાનો રામજી.. ત્રણ -ત્રણ વહુ ઘેરે મોટો વસ્તાર, વાડી વજીફા કોઈ કણબી પાસે નહીં જમીન વાવે ,રજવાડા નો ભાગ કાઢે એટલે માંડ વરસ નીકળે જમીન ખેડૂત ના નામે નહીં દરબાર ના નામે જ પડી હોય. ઉપર અંગ્રેજ ના રાજ અંગ્રેજ સરકાર ના રાજમાં ગામડામાં અરાજકતા જેવું વાતાવરણ "મારે તેની તલવાર બળિયા ના બેભાગ" કણબી ના ભાગે એક જ ભાગ આવે..
Raja Mension-Karachi
ગામડા રાજા રજવાડા ના ગુલામ, દેશ અંગ્રેજોનો ગુલામ , કોંગ્રેસ ની સ્થાપના ને 15 વરસ જ થયા હતા, આછી પાતળી ચળવળ ચાલુ થઈ હતી. દૂર દૂર સુધી આઝાદી નું કોઈ કિરણ દેખાતું ના હતું. ગુલામ ભારત નો નાગરિક આઝાદી નું સપનું તો ઠીક, આઝાદી ની કલ્પના પણ કરી શકતો નહતો, તેવા સમયે સિંગાલાપરિવાર ના બે છોકરા ઢોર ચરાવતા ચરાવતા  ગરીબાઈની ગુલામી માંથી મુક્ત થવાના સપના જોવે,જ્યારે મુંબઈ કે કરાચી થી કોઈ વ્યક્તિ ગામડે આવે ત્યારે સપના ફૂંફાડા મારે, ખાસ કરી મામા નો દીકરો ભીખાલાલ  કરાચી થી આવે ત્યારે ,સરખી ઉંમરને લઇ ને કરાચી ની જાહોજલાલી ની વાતો કરે, દસ વરસનો રામજી કુતૂહલવશ સાંભળે મનમાં ગુબારા ફૂટે. રામજી, ભીખાલાલ ને પૂછે અમારે કરાચી નો અવાય..? ભીખાલાલ મોટોમોટી કરી કહે બહુ જ આધુ છે  દરિયા ની ઓલી બાજુ...  દસ વરસ નો રામજી નિરાશ થાય, પણ મનોમન વિચારે કે જવું તો છે જ...!!! મોટાભાઈ ભગવાન ને કહે હાલોને આપણે  કરાચી વયા જાઈ.. આવા  વિચારો સતત ઢોર ચરાવતા કરે. બે ત્રણ વરસ મોટા  ભાઈ  ભગવાન ને કહે આતા ને કે ને આપણે કરાચી જાયે, અહીં ઢોર ચરવા ચટણી રોટલો અપૂરતી છાશ ખાવા કરતા તો, ભાગી જવું સારું.. દરરોજ રોટલો અથાણું કે લાલમારચુ  મીઠું અને છાશ ટબુડી છાશ માં પાણી નાખી રોટલા ના છેલ્લા બટકા સુધી હલાવવી.. આટલું તો ભાઈ આપણ ને કરાચી માય  મળી રહશે.. ભગવાન ઉપર ભરોસો રાખ, હાલ ને ભાઈ,આતાને  વાત કરને, બંને ભાઈ એ આતા ને વાત કરી, રાજા બાપાને વાત કરી, રાજાબાપા ને વાત ગળે ઉતરી, આમયે આ બેય છોકરા અહીં દુખીજ છે, અહીં ઢોર ચરાવવામાં જિંદગી ટુંકીજ કરવાના, કરાંચીમાં કદાચ સુખી થાય કે નપણ થાય, પણ વાડાસાડા  જેટલા તો દુઃખી નહીં જ થાય..!!!
Ramji Raja Patel-Jetpur
રાજા પટેલે પાંચેક રૂપિયા આડાઅવળા કરી  બંને ભાઈ ને આપ્યા, એક -એક આનો જેતપુર થી પોરબંદર ના રેલ ભાડાના, ચાર-ચાર  આના પોરબંદર થી કરાચી સ્ટીમર ભાડાના બાકી મહિનો પંદર દી ખર્ચના. ભણતર તો હતું નહીં , કાગળ પત્ર તો હતા નહિ, એમનેમ   અંધારામાં ધુબાકો મારવા નો હતો..  વાડાસાડા થી  ભાતાં ના ડબરા લઇ પહેરે કપડે હલી ને જેતપુર સ્ટેશન આવ્યા, શુભ સંકેત  અહીં થી જ મળ્યા ,ટીકીટ માસ્ટર ને પોરબંદર ની બે ટીકીટ માગી ટીકીટ માસ્ટર ગુસ્સા માં હશે કે કઈ પણ કારણ હશે એક રૂપિયો લીધા વગર, બે ટીકીટ અને  ચૌદ આના  રામજી ના હાથ માં મુક્યા, રામજી થોડી વાર વિચારવા માંડ્યો , તરત ભગવાન ને વાત  કરી કે આમ બન્યું, બંને ભાઈ એ વિચાર્યું અણહક નું ના લેવાય, ઉપર જઇ ને પરમાત્મા ને જવાબ આપવો પડે એટલી સાદી સમજ , બન્ને ભાઈ  બીતા બીતા ટીકીટ માસ્ટર પાસે પાછા ગયા ,  બંને ના વેશ જોઈ, કોઈ પણ વાત સાંભળ્યા વગર  ધમકાવી કાઢી મુક્યાં.. બંને દયા મણા મોઢે બાંકડે આવી બેસી ગયા, પરમાત્મા એ જાણે બરકત ના શુભ ગણેશ કરાવ્યા..  જાણે જિંદગી શુભ કરવટ લેતી હોય.. બન્નેના કપડાં અને વેશ જોઈ મુસાફર બધા સામે જોતા જતા હતા, તે સમયે કાઠિયાવાડ   માં  મોટાભાગે  છોકરા ગોઠણ સુધી ના લાંબા પહેરણ પહેરતા નીચે કાઈ ના પહેરતા ...  જેતપુર થી પોરબંદર રેલ મારફત પોહચી  "કલાવતી" આગબોટ માં બેસી  કરાચી જાવા  રવાના થયા..
બન્ને ભાઈ ના ચેહરા પર  ખુશીની આભા હતી, ઘેરે થી બાંધી આપેલી  ગોળ પાપડી, મીઠી પુરી ,ઢેબરાં ખાઈ રાતે સુતા સુતા ...સુટ, ચક ચકતાં બુટ , સુગંધી તેલ નાખેલ બાબરી વાળો ભીખાલાલ   પરકાયામાં  પ્રવેશ્યો,  સરમાં આવ્યો  , કહેવા માંડ્યો "કરાચી બહુ દૂર છે દરિયા ને પેલે પાર, ન્યા મહેનત કરવી પડે ...  "  આગબોટમાં  જાગતા -સુતા જેવી  કાગા નિંદરમાં ... આગબોટ નું ભૂંગડું વાગ્યું મુસાફર માં  ગણ ગણાટ ચાલુ થયો, કરાચી આવી ગયું ભોંભાખડું થયું , કરાચી ની લાઈટ દેખાવા  માંડી,  બન્ને ભાઈ ના મનમાં દિવાળી નો ઉજાસ પથરાયો, ચહેરા ઉપર સંતોષ ની  ઓરા ચમકવા માંડી, બંને ભાઈ એકબીજા ના હાથ કચ કચવી પકડી કરાચી ની લાઈટ ને આશા ભરી નજરે જોવા મંડ્યા.. જાણે નાનપણ માં ગુમાવેલી માં એ દર્શન દીધા.. !!!
આગબોટ કરાચી ના બારામાં લાંગરી, નિત્ય ક્રમ પ્રમાણે ત્યરે સમાજ બિલકુલ અભણ હતો, પત્ર વ્યવહાર બિલકુલ ન હતો ,દેશ ના સમાચાર લેવા માટે દરેક પરિવાર ના મોભી બંદર ઉપર આવે , રસ્તા ની  બન્ને બાજુ કતાર બંધ ઉભા રહી જાય પોતાની ઓળખ ,ગામ નું નામ બોલતા જાય, જો જાણીતા કે ગામના વ્યક્તિ કે સાગા વહાલા મળે તો ખબર અંતર પૂછે, સારા માઠા સમાંચાર મેળવી, આનંદ થઈ ગળે મળે આવકારે, તેના સાગા કે સંબંધી કોઈ ના હોય તો પોતાના ઘેર લઇ જય , કામ ધંધે વળગાડી કોઈ ભાડા ની જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપે , સમાજ ની આવી ઉમદા ભાવના હતી,
પરંપરા પ્રમાણે ભીખાલાલ ના આતા દેવશી મિસ્ત્રી ના નામે પ્રખ્યાત હતા તે પણ બંદર ઉપર આવેલ, બને ભાઈ બધા મુસાફરો સાથે ચકર -વકર જોતા જાય છે મનમાં આનંદ સાથે ભય પણ છે કોઈ જાણીતું કે ગામનું દેખાતું નથી ત્યાં દેવશી મિસ્ત્રી ની નજર લાંબા એકવડા  બાંધા ના રામજી પર પડી ,ભગવાન બેઠી દડીનો, પાછળ રહીગ્યો દેવશી મિસ્ત્રીએ  બૂમ પાડી, એ...લા... એ.. રામજી તું અહીં ક્યાંથી.. ? એકલો આ ઉંમરે તારા બાપે મોકલ્યો જીવ ના કોચવાણો...?   મામા.. હું એકલો નથી ભાઈ પણ હારે  જ  છે.. એટલો સંવાદ થાય છે ત્યાં ભગવાન પણ પોહચી જાય છે.. આમ બંને ભાઈ દેવશી મિસ્ત્રી ની ચાલ માં યોગ્ય જગ્યાએ પહોંચી જાય છે..  મોટા સામેઉભડક બેસવાની કાઠિયાવાડી પરંપરા  કહો કે ટેવ મુજબ  બંને ભાઈ બેઠા ,દેવશી મિસ્ત્રી ની નજરમાં આવ્યુકે નીચે ચડી  નથી પહેરી, ભીખાલાલની ચડી અને પહેરણ નાહીં ધોઈ પહેરવા કહ્યું, કરાચીમાં જિંદગીનું પહેલું કામ દેવશી મિસ્ત્રીએ ચડી પહેરવાનું કરાવ્યુ.. દેશ ના ખબર અંતર પૂછ્યા, ઘેર થી પૂછીને તો આવ્યા છો ને..? પોતે મિસ્ત્રી (કડિયા) કામ માં માહિર હતા એટલે  તેમણે પોતાની સાઇટ ઉપર ટોપલા તરીકે  તગારા ઉપાડવા, બાંધકામ માં પાણી છાંટવા ના કામે ગોઠવી દીધા, બંને ને પોતાની મર્યાદા ખબર હતી કે  આપણે અંગુઠા છાપ ,અભણ, બિલકુલ અક્ષર જ્ઞાન નહીં આનાથી વિશેષ કામ આપણને ના જ મળે, બંને ભાઈ સખત મહેનત કરવા માંડ્યા સમય જતાં તેમને માસી નો દીકરો હિરજી ઠાકરશી ઠુમર મળ્યો. ત્રણે ને સ્વભાવ ગત ખૂબ જ મનમેળ બેઠો ત્રણે એક જ ઓરડી માં રહેવા મંડ્યા, કોઈ ને ખબર ના પડે કે હિરજી તેનો સગોભાઈ નથી.. હાથે રસોઈ કરે  ત્રણે સાથે જમે અલક મલક ની વાતો કરે થાક્યા પાક્યા સુઈ સવારે કામ પર આ નિત્ય ક્રમ, ધીમેધીમે કોઠા સૂઝ થી ત્રણે જણ પોતાના કામમાં માહિર થવા લાગ્યા, આ ત્રણે પોતાનું કામ કરે, વિધાતા પોતાનું કામ કરે. પોતાની મહેનત અને વિધાતા જાણે હરીફાઈ માં ઉતર્યા, વિધાતા આગળ વધતા જાય, ત્રણે પોતાની હારથી ખુશ થાય, ત્રણે અંદરો અંદર ચર્ચા કરે આપણા નસીબ ખુલ્યા છે નહીતો આમ થોડું આગળ વધાય,  જે પારસી શેઠ ની નીચે કામ કરતા હતા તે વગદાર કરાંચીના મોટા કોન્ટ્રાક્ટર હતા તેસમયે કરાચી ની વસ્તી આશરે બે થી અઢી લાખ હતી વિકાસ ઝડપી હતો,  પારસી શેઠ પાસે અઢળક કામ રહેતું, નાના નાના   કોન્ટ્રાકટ આ ત્રણે મિત્રો ને પોતાના ગુડવીલ ઉપર ,પોતાની જવાબદારી ઉપર અપવાવમાં માંડ્યો, પોતે નીતિ મતાથી કામ કરવા લાગ્યા  , ગુણવત્તા સાથે બિલકુલ બાંધછોડ નહીં ,પારસી શેઠ ની ગુડવીલ ને  બિલકુલ આંચ ના આવવી જોઈએ, પારસી શેઠ ની ગુડવીલ ની ખેવના રાખવામાં ને રાખવામાં ત્રણે ની ગુડવીલ કેમ ,ક્યાં,અને ક્યારે બની ગઈ તેનો ખ્યાલજ ના રહ્યો, પારસી શેઠ પાસે બાંધ કામ કરાવનાર આ ત્રણે છોકરાની માગણી કરવા માંડ્યા.. ક્યારેક કોઈ અઘરા , મહત્વ ના કામ માટે પારસી શેઠ ને બદલે આછોકરાવ નો આગ્રહ રાખવો મંડ્યા, પારસી શેઠ ને આ ત્રણે છોકરા ઉપર ગૌરવ થયું, અને કહ્યું "ગુરુ કરતા ચેલા સવાયા" હવે તમે તમારી કંપની શરૂ કરો,
આમ ભગવાન રાજા એન્ડ કંપની નો પાયો નાખ્યો,  આ કંપની "દિન દુગની રાત ચૌગુની"પ્રગતિ કરતી ગઈ. આમ ત્રણે  ભગવાન માંથી ભગવાન શેઠ,રામજી માંથી રામજી શેઠ, હિરજી માંથી હિરજી શેઠ બની ગયા  ભણતર ઉપર ગણતર ચડિયાતું સાબિત થવા  લાગ્યું ,  માણસ પારખવાની શક્તિ રામજી શેઠ માં હતી તે ભણેલ ગણેલ માણસ ને યોગ્ય જગ્યા એ યોગ્ય વળતર થી ગોઠવવા મંડ્યા, પૈસો  પૈસો ને કામવાવ લાગ્યો,
કંપનીનો સિતારો તો ત્યારે ફર્યો જ્યારે અમરેલી ગાયકવાડી પ્રાંત નો હોનહાર,હોશિયાર યુવાન  હરિભાઈ સિદ્ધપુરા   જોડાયા ,અમરેલી તેનું વતન ગાયકવાડ ની સ્કોલરશીપ ની સહાય થી વિદેશ બાંધકામ શાખાનું એન્જીનિયરિંગનો અભ્યાસ કરી ગાયકવાડ સરકાર માં કરાર મુજબ નોકરી કરી પદ પ્રતિષ્ઠા કમાય છે , કરાર પૂરો થયો, રામજી શેઠ ના ધ્યાને આ હીરો આવ્યો, મનગમતા વડતરે પોતાની સાથે કમ્પનીમાં સામેલ કર્યો, પોતાના સમક્ષ  હકક આપ્યા, હક્ક ની સામે તેણે જવાબદારી પણ  એવીજ નિભાવી, મોટી મોટી બ્રિટિશ કંપની અને આંતરરાષ્ટ્રીય કંપની ઓને ભગવાન રાજા એન્ડ કંપની હંફાવવા મંડી, સિંઘ  પ્રાંત ના મોટા મોટા સરકારી કામો ભગવાન રાજા એન્ડ કંપની ને મળવા મંડ્યા...
સિંધ પ્રાંત માં ખાસ કરી કરાચી એર પોર્ટ, તેનો રનવે, રેલવે સ્ટેશન, બહુમાળી બિલ્ડીંગો ,  માસ મોટા સિનેમા હોલ, કરાંચીની મોટાભાગ ની વસાહતો , સરકારી સ્કૂલ કોલેજ, હિરાકુંડ ડેમ કોનર્ક,    ઓરિસ્સા ના મોટા કામો મળવા  લાગ્યા, ભગવેન રાજા એન્ડ કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર થવા  લાગી.
આજ અરસામાં  કાઠિયાવાડી ભાઈ કુટુંબ બધા એક સાથે રહે તે માટે લગભગ 400 પરિવાર એક સાથે રહી શકે તેવું "રાજા મેનશન" નું નિર્માણ કર્યું પોતાના પિતાને શ્રદ્ધાંજલિ રૂપે  અદભુત,  બેનમૂન સ્થપત્ય પોતાની કર્મ ભૂમિ ને અર્પણ કર્યું
રાજા મેનશન ને ચાર  દરવાજા હતા ચાર માળ હતા એક એક માળે 100 ફ્લેટ હતા લગભગ 400  ફ્લેટ ની વસાહત હતી, વચ્ચે મોટું મેદાન હતું તેમ ધાર્મિક  સામાજિક  પ્રસંગો ઉજવાતા, જયારે સમૂહ લગ્ન શુ કહેવાય ? તે  સમાજ ને ખબર નહોતી ત્યારે કોઈ પણ જાતના ફંડ ફાળા કર્યા વગર પોતે અંગત રીતે સર્વ જ્ઞાતિ મોટાભાગે કાઠિયાવાડી સમાજ લાભ લેતો હતો, પોતાની દીકરી ને જેમ કરિયાવર કરતા હોય તેમ સોના ચનદીના ઘરેણાં પણ આપતા.
કરાંચીમાં પ્રથમ વાર રોજી રોટી માટે આવતા માણસને રાજામેનશન માં છ મહિના ની શુલ્ક રહેવા મળતું તેને પોતાની કંપનીમાં પ્રથમ તક આપતા ,તેને બીજે સારી તક  મળે તેવા પ્રયત્નો પણ કરતા. ત્રણે શેઠ નો રણછોડ લેન, દેવશી મિસ્ત્રી ની લેન  ગુજરાતી વસાહત માં તેની બે ખચર ની બગી(તે  સમયે કાર ની પરંપરા નહતી) નીકળે ત્યારે વહુ વારુ માથે ઓઢી માન આપતા..નાના મોટા વ્યક્તિ રસ્તો આપી  માન આપતા હતા..
કંપની ની નામના ખુબજ વધી કલકત્તામાં એક વિશાળ બ્રિટિશ સરકાર ના કામ માટે મજદૂર પુરા પાડવા  નો કોન્ટ્રક મળ્યો. તેમાં ખુબજ કામણી  થઈ, બ્રિટિશ સરકારે પ્રશશતી પત્ર વાઇસરોય ના હસ્તે આપવાનું નક્કી કર્યું તેમાં ચેરમેન  તરીકે રામજી રાજા પટેલ ને  આમંત્રણ હતું કંપનીના મુખ્ય સહયોગી ,  ભગવાન શેઠ, હિરજી શેઠ હરિભાઈ એ કહ્યું અંગ્રેજી શૂટ ટાઈ  બુટ પહેરી ને જાવ કંપનીની  શનો શૌકત પ્રમાણે , પણ રામજી શેઠ પોતાની સંસ્કૃતિ પોતાની શાખ પ્રમાણે તે સમારંભ માં ગયા ગુજરાતી માં વાતો કરી દુભાશિયા દ્વારા  ચર્ચા કરી  અંગ્રેજ ઉચ્ચ અધિકારીઓ ને ચકિત  કરી દીધા. હદ તો ત્યારે થઈ મુલાકાતી બુક માં તેમની સાથે ગયેલ વ્યક્તિએ નોંધ લખી આપી નીચે અંગુઠો મારી મંજુર કર્યું અંગ્રેજ જોઇ રહ્યા આટલો ઊંચ દરજાનો માણસ બિલકુલ અક્ષર જ્ઞાન વગર આ કક્ષાએ પોહચી શકે ખરો..!!! અંગ્રેજો એ તેની કોઠા સૂઝ ને સલામ કરી...!!!
સમયે કરવટ બદલી   હિન્દુસ્તાન ની આઝાદી દરવજે ટકોરા પાડવા મંડી.. આઝાદી ના સુખ ની સાથે બટવારાનું દુઃખ પણ  લાવ્યું ભારત સાથે પાકિસ્તાન નું નિર્માણ થયું ભાઈ ભાઈ ના લોહી ના પ્યાસા થયા.  કરાર મુજબ કરાચી પાકિસ્તાન માં ભળ્યું.. બન્ને બાજુ હિજરત  ચાલુ થઈ લખો માણસો રેલ દ્વારા , પગપાળા, રોડ રસ્તે જે મળે તેમાં ભગમભાગ કરવા મંડ્યા, સામુહિક કત્લે આમ લાખો માણસો ના લોહી  રેડાયા.. આવી કપરી પરિસ્થિતિ માં દરિયાઈ માર્ગ એક જ સલામત છે  એવું લાગતા , રેલનો જોખમી માર્ગ પસંદ કરવા ને બદલે ભગવાન રાજા એન્ડ કંપની એ તમામે તમામ કાઠિયાવાડી પરિવાર ની મદદે આવી નાત જાત  ધર્મ ના ભેદ ભાવ વગર આગબોટો બાંધી કરાચી થી પોરબંદર  સલામત પોહચતાં કર્યા દરેક  પરિવાર ના સર સમાન માટે  કાર્ગો વહાણો બાંધી પોહચતા કર્યા..
1947 પછી પોતાનો  સમગ્ર કારોબાર મુંબઇ   મુકામે જોગેશ્વરી માં એક લાખ વાર જમીન એક સાથે લઈ હરિભાઈ સિદ્ધપરા,વાય. જી. પટેલ(યશરાજ પટેલ)  અર્જુનભાઇ કુંવરજી પટેલ કરાંચીના ત્રણે ભાગીદારો ભગવાન રાજા  પટેલ,  રામજી રાજા પટેલ, હિરજી ઠાકરશી ઠુમર સહિત છ ભાગીદારો વચ્ચે પટેલ કનસ્ટ્રક્શન નામે ચાલુ કરી હેઝ કંપની જે આલારામ ઘડિયાળ બનાવે છે એક સમય માં નામ હતું, બીજી એક કંપની પટેલ એન્જીનયરિંગ કંપની સ્થાપી જેમાં  નાના થી મોટી  અડધા હો. પા. થઈ લઈ મોટા મોટા ડેમો ,સ્ટીમર માં વપરાતી હજારો હો. પા. ની મોટર બનાવતી તેનું બ્રાન્ડ નેમ "inpro"હતું..
ખૂબ જ  ટૂંકું જીવન જીવી એક ઇતિહાસ રચી રામજી રાજા તા. 15 ડિસેમ્બર 1948 ના દિવસે હૃદયરોગ ના હુમલાથી અવસાન પામ્યા 2 વરસ ના ગાળા માં ભગવાન રાજા નું પણ ટૂંકી બીમારી માં અવસાન પામ્યા
રામજી રાજા પટેલ  ના  મોટાપુત્ર  સ્વ.પ્રભુદાસ ભાઈ નો પરિવાર હાલ જેતપુર , રાજકોટ રહે છે..  વચેટ પુત્ર સ્વ.ગોવિંદભાઇ ની પરિવાર મુંબઈ અને અમેરિકા રહે છે નાના પુત્ર સ્વ. ભુપતભાઇ નો પરિવાર અમેરિકા રહેછે.
દીકરીઓ જમુના બેન,દૂધીબેન,વસતબેન સુશીલાબેન નો પરિવાર મુંબઈ રહે છે નાની દીકરી કુમુદ બેન નો પરિવાર અમેરિકા રહે છે
બન્ને ભાઈઓ ની સ્મૃતિ માં મુંબઈ માં  જોગેશ્વરી મુકામે
"ભગવાન રાજા નગર" પટેલ એસ્ટેટ જેતપુર મુકામે ગોવિદ નિવાસ આજે પણ અડીખમ ઉભાછે..
---------ગુણવંત ધોરડા
            જેતપુર
             તા.13-મેં-2020
નોંધ:- સાથે
એક ફોટોગ્રાફ.. રામજી રાજા પટેલ
બીજો ફોટોગ્રાફ રાજા મેનશન કરાચી
ત્રીજો વિડ્યો રણછોડ લાઇન રાજા મેનશન 1985 મુસ્લિમ બિરાદર જાવેદભાઈ  ના સૌજન્ય થી
પૂર્ણ

No comments:

Post a Comment